Hot Posts

6/recent/ticker-posts

RBI Issued Guidelines Regarding 500 Rupees Note

 


RBI Issued Guidelines Regarding 500 Rupees Note

RBIએ 500 રૂપિયાની નોટને લઈને જાહેર કરી ગાઈડલાઈન, જાણી લો નહીં તો થશે પસ્તાવો

19 મે, 2023 ના રોજ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 2000 રૂપિયાની નોટને બંધ કરી દીધી હતી, ત્યારબાદ હવે 500 રૂપિયાની નોટ સૌથી મોટી નોટ તરીકે ચલણમાં છે . પરંતુ, બજારમાં 500 રૂપિયાની નકલી નોટો પણ દેખાઈ રહી છે.

ALSO READ :: રોજગાર વિનિમય કચેરી : ગુજરાત રાજ્ય // rojgar vinimay kacheri gujrat 

  • જો તમને અજાણતામાં 500 રૂપિયાની નકલી નોટ મળી જાય તો ગભરાવાની જરૂર નથી. RBIએ આ માટે ગાઈડલાઈન જારી કરી છે, જેને અનુસરીને તમે યોગ્ય પગલાં લઈ શકો છો. ચાલો જાણીએ કે જો તમને નકલી નોટ મળે તો તમારે શું કરવું જોઈએ.

100, 200 અને 500 રૂપિયાની નોટો RBI દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ નકલી નોટ બનાવનારાઓ કેટલીકવાર સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને ATMમાં ​​નકલી નોટો નાખે છે. આવું થવા પર જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે ક્યારેક તમારા હાથમાં 500 રૂપિયાની નકલી નોટ આવી શકે છે. જો તમને આવી નકલી નોટ મળે છે, તો બેંક તે નોટ સ્વીકારવાનો ઇનકાર કરી શકે છે, જેના કારણે સમસ્યા ઊભી થાય છે.

ફાટેલી અને જૂની નોટો બદલવાની પ્રક્રિયા

  • ઘણી વખત ATMમાંથી ફાટેલી કે જૂની નોટો નીકળી જાય છે, જેને ઓળખવી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક તમારી બેંકની નજીકની શાખામાં જવું જોઈએ અને આ નોટો બદલાવી લેવી જોઈએ. RBIના નિયમો અનુસાર, બેંક કોઈપણ મુશ્કેલી વિના તમારી ફાટેલી નોટો બદલશે.

500 રૂપિયાની નોટ પર RBIની ગાઈડલાઈન

  1. 💥મહાત્મા ગાંધીની નવી સિરીઝવાળી 500 રૂપિયાની નોટો પર ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી છે.
  2. 💥નોટની પાછળ લાલ કિલ્લાની તસવીર પણ છપાયેલી છે.
  3. 💥નોટની પાછળ છપાયેલ લાલ કિલ્લાની તસવીર દેશના સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે.
  4. 💥નોટનો મૂળ રંગ સ્ટોન ગ્રે છે. નોટમાં અન્ય ડિઝાઇન અને ભૌમિતિક પેટર્ન છે, જે આગળ અને પાછળની કલર સ્કીમ દેખાડે છે.

RBIની ગાઈડલાઈન અનુસરો

  • જો તમે નકલી અથવા ફાટેલી નોટોથી બચવા માંગતા હોવ, તો રોકડ લેતી વખતે હંમેશા નોટો ચેક કરવાનું યાદ રાખો. જો તમને નકલી નોટ મળે, તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો અને RBI દ્વારા જારી કરાયેલ ગાઈડલાઈનનું પાલન કરો.

500 રૂપિયાની અસલી નોટ કેવી રીતે ઓળખવી?

  • 500 રૂપિયાની મૂળ નોટ પર લખાયેલ નંબર '500' પારદર્શક હશે.
  • 500 રૂપિયાની નોટમાં લેટેન્ટ ઇમેજ હશે
  • 500 રૂપિયાની નોટ પર તેનો મુલ્યવર્ગ નંબર દેવનાગરી લિપિમાં શબ્દોમાં લખવામાં આવશે.
  • જ્યારે નોટ ત્રાસી હોય ત્યારે સિક્યોરીટી થ્રેડનો રંગ લીલાથી વાદળીમાં બદલાય છે.
  • 500 રૂપિયાની નોટ પર ખૂબ જ નાના અક્ષરમાં હિન્દીમાં ભારત અને અંગ્રેજીમાં ઈન્ડિયા લખેલું હશે.


Post a Comment

0 Comments